મલ્ટી બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે જે વિદેશી કંપની ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર બતાવે તેને ઇ-રીટેલીંગ માટે પણ મંજૂરી આપવાની દરખાસ્ત છે. ગયા ડિસેમ્બરમાં મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઇને મંજૂરી આપ્યા બાદ કોઇપણ કંપનીએ રોકાણ માટે એપ્લીકેશન કરી નહોતી કેમ કે સરકારની નીતિ અસ્પષ્ટ હતી તેમજ કંપનીએ રાજ્ય સરકારની મંજૂરી પણ લેવી પડતી હતી. વોલમાર્ટ, ટેસ્કો અને કેરફોર જેવી કંપનીઓ સરકારની સ્પષ્ટતાની રાહ જોઇને બેઠી હતી.
હવે જ્યારે સરકાર આ કંપનીઓને ઇ-કોમર્સ માટે મંજૂરી આપવા વિચારી રહી છે ત્યારે રીટેલ ક્ષેત્રને ફાયદો થશે.
આ અગાઉ સરકારે એફડીઆઇ માટે એપ્લાય કરનાર કંપનીઓ ઇ-રીટેલ કરી શકે નહીં એમ જણાવ્યું હતું. ભારતમાં જ્યારથી ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે ત્યારથી ઇ-રીટેલ ક્ષેત્રે ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. ભારતમાં ઇ-કોમર્સના વધતા વ્યાપને જોઇએ તો ઇ-બે અને સ્નેપડીલ જેવી ઇ-કોમ કંપનીઓએ રોકાણ વધાર્યું છે.



0 comments:
Post a Comment